۱- عَنْ عُمَرَ بْنَ الْخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ عَلَى الْمِنْبَرِ، قَالَ : سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ : " إِنَّمَا الأَعْمَالُ بِالنِّيَّاتِ، وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى، فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى دُنْيَا يُصِيهَا، أَوْ إِلَى امْرَأَةٍ يَنْكِحُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ.
(صحيح البخاری : ۱ / صحيح المسلم : ۱۹۰۷)
૧. ઉમર બિન ખત્તાબ કહે છે કે મેં નબીએ કરીમ ﷺ ને મિન્બર ઉપર કહેતા સાંભળ્યા "કાર્યોનો આધાર નીયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે.
(સહીહ બુખારી : ૧ / સહીહ મુસ્લિમ : ૧૯૦૭)
સમજૂતી : ઉપરોક્ત હદીષ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ ઉમ્મે કૈસ નામની સ્ત્રીને લગ્ન માટે વાત પહોંચાડી, તેણીએ ત્યાં સુધી લગ્ન કરવાની ના પાડી જ્યાં સુધી તે હિજરત ન કરી લે, તે વ્યક્તિએ સ્ત્રીની શરત પ્રમાણે હિજરત કરી અને ત્યાં બન્નેના લગ્ન થઈ ગયા, તેથી સહાબાઓમાં તે વ્યક્તિ મુહાજિર ઉમ્મે કૈસ નામથી પ્રખ્યાત થઈ ગયો.
➪ આ હદીષથી મળતા ફાયદા :
૧. ઉપરોક્ત હદીષ પ્રમાણે આલિમોનો એકમત છે કે દરેક કાર્યોમાં નિયત કરવી જરૂરી છે અને નિયત પ્રમાણે જ બદલો અને પૂણ્ય મળશે,
૨. નિયતનું સ્થાન દિલ છે, અર્થાત્ દિલમાં નિયત કરવી જરૂરી છે, જબાન વડે જાહેર કરવું જરૂરી નથી.
૩. જબાન વડે નિયત કરવી બિદઅત ગણાશે, જેના વિશે શરીઅતમાં (ધાર્મિક કાનૂન) કોઈ દલીલ મળતી નથી.
ઉદાહરણ તરીકે, હિન્દુસ્તાન તેમજ પાકિસ્તાન માં નમાઝ પઢતી વખતે જબાનથી નિયત કરવી એક સામાન્ય રિવાજ છે, જે એક બિદઅત છે.
૪. દરેક કાર્ય માટે ઇખલાસ જરૂરી છે, અર્થાત્ દરેક નેક કાર્યમાં અલ્લાહને રાજી કરવાની નિયત હોવી જોઈએ.
૫. જો કોઈ નેક કાર્યમાં ઇખલાસ સિવાય કોઈ અન્ય નિયત થઈ જાય તો અલ્લાહ પાસે તે કાર્ય અને અમલ સ્વીકાર કરવામાં નહી આવે.
આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.
☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎
- - - - - - - - - - - - - - - - - - -
મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

0 Comments